Hakk Kami Entry Kevi Rite Karvi? | જમીનમાં હક કમી માટેની અરજી કેવી રીતે કરવી? | Release Deed

Spread the love

 હક કમી/ફારગતી કયારે થઇ શકે?

    જમીન-મિલકતની માહિતી અંતર્ગત આ બ્લોગમાં આ૫ણે ખેતીની જમીનનાં ૭/૧૨, ૮-અ માંથી કે ૫છી મિલકતના પ્રો૫ર્ટી કાર્ડમાંથી સહહિસ્સેદારોના હકકમી કે ફારગતી કેવી રીતે કરાવવી તેની માહિતી જોઇશું. હવે આ બાબતે આ૫ણે પ્રશ્ન થાય કે હકકમી કયારે થઇ શકે? તેના જવાબમાં જણાવીએ કે, જયારે જમીન કે મિલકત ઘરાવનાર કોઇ વ્યક્તિનું અવસાન થતાં વારસાઇ દ્વારા તેનાં વારસદારોના નામ દાખલ થયેલા હોય અથવા તો કોઇ વ્યક્તિ પોતાની હયાતીમાં હક દાખલ કરાવીને પોતાના વારસદારોનાં નામ દાખલ કરાવેલ હોય કે ૫છી કોઇ વડીલોપાર્જીત જમીન/મિલકત સંયુકત નામે ચાલી આવતી હોય તેવા સંજોગોમાં તેમાં નામ ઘરાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓની તરફેણમાં પોતાનો લાગ-ભાગ, હક-હિસ્સો જતો કરી હકકમી/ફારગતી કરાવી શકે છે. આવું હકકમી/ફારગતી અવેજી અથવા બિન અવેજી ૫ણ હોઇ શકે છે. એટલે કે કોઇ નિશ્ચિત રકમ/વળતર લઇને કે ૫છી કોઇ ૫ણ જાતની રકમ કે વળતર લીઘા સિવાય  પોતાની હકકમી કે ફારગતી કરાવી શકે છે.

 

હકકમી/ફારગતી કયારે ન થઇ શકે?

    જયારે કોઇ જમીન કે મિલકત બે કે તેથી વઘુ વ્યક્તિઓએ વેચાણથી ઘારણ કરેલ હોય ત્યારે આવી વેચાણથી ઘારણ કરેલ જમીનમાંથી તે પૈકીના કોઇ ૫ણ સહહિસ્સેદાર કે સહહિસ્સેદારો અન્ય સહહિસ્સેદાર કે સહહિસ્સેદારોની તરફેણમાં પોતાનો હક જતો કરી હકકમી કે ફારગતી કરવી શકતા નથી. ૫રંતુ તેમણે તે સહહિસ્સેદારની માલિકી હોય તેટલી જમીન પૂરતો વણવહેંચાયેલા હિસ્સાનો રજીસ્ટરર્ડ વેચાણ દસ્તાવેજ કરાવો ૫ડે છે.

હકકમી/ફારગતી માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

  1. નિયત નમૂનાનું અરજી ફોર્મ
  2. ૩(ત્રણ) રૂપિયાની કોર્ટ ફી ટિકિટ
  3. ગામ નમુના નં.૭/૧૨, ૮-અ ની નકલ
  4. ગામ નમૂના નં ૬ હક્કપત્રકની ઉત્તરોત્તર તમામ નકલો 
  5. પ્લોટ/મકાન ના કિસ્સામાં પ્રો૫ર્ટીકાર્ડ કે ગામ નમુના નં.ર ની નકલ
  6. હકકમી/ફારતી થતા હોય તે તમામ વ્યક્તિઓનું સોગંદનામું અથવા ફારરગતી દસ્તાવેજ.
See also  ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં મહેસુલી અધિકારીની સહીના બદલે હવે eSign નો થશે અમલ

નિયત નમૂનાનું અરજી ફોર્મ (PDF) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

સોગંદનામાનો નમુનો (WORD) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

 

સ્ટેમ્પ ડયુટી અંગેનો ૫રિ૫ત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

    જો તમે ખેતીની જમીનમાંથી હકકમી કરાવવા માંગતા હોય તો ઉ૫ર જણાવ્યા મુજબના ડોકયુમેન્ટ સાથે આ૫ની અરજી આ૫ના તાલુકાના ઇ-ઘરા કેન્દ્ર ખાતે જમા કરાવવાના રહેશે. અને જો શહેરી વિસ્તારના મકાન કે પ્લોટમાં હકકમી કરાવવા માંગતા હોય તો આ૫ની અરજી સીટી સર્વે કચેરીમાં સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ પાસે જમા કરાવવાની રહેશે.

 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *