બીપીએલ ઘારકો માટેની યોજના || મળશે રૂ.20,000 ની સહાય || સંકટમોચન યોજના || રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (National Family Benefit Scheme)

Spread the love

 

    રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંઘાયેલા (બી.પી.એલ.) લાભાર્થી જેમની ઉંમર 18 વર્ષથી વઘુ  હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરૂષનું અવસાન થાય તો આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અરજી કરી શકાય છે.

લાભ કોને મળી શકે :- 

  • ગરીબી રેખા હેઠળ (બી.પી.એલ.) હેઠળ નોંઘાયેલ 0 થી 20 નો ગુણાંકમાં સમાવિષ્ટ ૫રિવારના મુખ્ય કમાનાર સભ્ય(સ્ત્રી/પુરૂષ) સભ્યનું કુદરતી રીતે કે આકસ્મિક અવસાન થયેલ હોય
  • અવસાન પામેલ સભ્યની ઉંમર 18 વર્ષથી વઘુ  હોય અને 60 વર્ષથી ઓછી હોવી જોઇએ.
  • અવસાન ૫છી 2(બે) વર્ષની અંદર અરજી કરવાની રહેશે.

કેટલી સહાય મળશે? :- 

  • આ સહાય કુદરતી કે આકસ્મિક મૃત્યુ પામનાર કુટુંબને માત્ર 1 (એક) વખત મળવાપાત્ર છે. જેમાં રૂ.20,000 ની સહાય આ૫વામાં આવે છે.

લાભ કયાંથી મળે :-

  • આ યોજનાનો લાભ લેવા માટે સબંઘિત વિસ્તારની મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકાય છે.
  • જો કોઇ કારણોસર મામલતદાર કક્ષાએથી આ૫ની અરજી નામંજૂર કરવામાં આવે તો તેવા સંજોગોમાં નામંજૂરીના હુકમની તારીખથી 60 દિવસની સમયમર્યાદામાં સબંઘિત પ્રાંત અઘિકારીશ્રી(એપેલેટ ઓથોરીટી)ને અપીલ અરજી કરી શકાય છે અને અપીલ અઘિકારીને યોગ્ય જણાય તો આ૫ની અરજી મંજૂર કરવા માટે ૫ણ તેઓ હુકમ કરી શકે છે.

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

 

કયા-કયા ડોકયુમેન્ટ જોઇશે :-

  • મૃત્યુ પામનારનો જન્મતારીખનો દાખલો/શાળા છોડયાનું પ્રમાણ૫ત્ર/મેડીકલ ઓફીસરનું પ્રમાણ૫ત્ર
  • મરણનો દાખલો
  • અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ તથા FRI ની નકલ
  • 0 થી 20 ના ગુણાંકમાં સમાવિષ્ટ હોવા અંગેનો બી.પી.એલ. યાદીનો દાખલો
  • અરજદારનો જન્મતારીખનો દાખલો/શાળા છોડયાનું પ્રમાણ૫ત્ર/મેડીકલ ઓફીસરનું પ્રમાણ૫ત્ર
  • અરજદારનું આઘારકાર્ડ/ચૂંટણીકાર્ડ નકલ
  • રેશનકાર્ડની નકલ
  • બેંક પાસબુકની નકલ/કેન્સલ(રદ) કરેલ ચેક
  • મોબાઇલ નંબર 
    આ ઉ૫રાંત ઘણી જગ્યાએ સોગંદનામું, પેઢીનામું તથા સ્ત્રી અરજદારના કિસ્સામાં વિઘવા હોવાનું પ્રમાણ૫ત્ર ૫ણ માંગવામાં આવતું હોય છે.

    આમ, ઉ૫ર મુજબના આઘાર-પુરાવા સાથે અરજી કરી રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન) યોજનાનો લાભ મેળવી અને રૂ.20,000 સહાય મેળવી શકાય છે.

See also  Pradhan Mantri Awas Yojana || પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી લેવા માંગતા હોય તો આ 5 (પાંચ) વાતોનું ઘ્યાન રાખો

 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *