100 Choras Var Mafat Plot Yojna-2022

Spread the love

100 Choras Var Mafat Plot Yojna 2022 : પંચાયત વિભાગ દ્વારા 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના: ગ્રામીણ વિસ્તારોમાં 100 ચોરસ ફૂટનો રહેણાંક આવાસ પ્લોટ અથવા ઘરવિહોણા મકાન આપવા માટેની યોજનામાં સુધારો કરવા નવી નીતિનો અમલ 2019

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના સત્તાવાર પરિપત્ર ડાઉનલોડ કરો

  1. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જમીન વિહોણા ખેતમજૂરોને 100 ચોરસવાર સુધીનાં ઘરથાળનાં મફત પ્લોટ આપવાની યોજના સને-1972 થી ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી હતી. જે અંતર્ગત ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં ગરીબી રેખા નીચે જીવતા ભૂમિહીન ખેત મજૂરો અને ગ્રામીણ કારીગરો માટે મફત મકાનના પ્લોટની રાજ્ય સરકારની યોજના વર્ષ 1976 થી કાર્યરત છે. વર્ષ 18માં આવા ફાળવેલ પ્લોટ પર મકાનો બાંધવા માટે સહાય યોજના અમલમાં મુકવામાં આવી હતી..સરદાર આવાસ યોજના, જે “મફત પ્લોટ, મફત ઘર” ના સૂત્રને મૂર્તિમંત કરે છે, તે વર્ષ 1997 થી અમલમાં છે.
  2. શરૂઆતમાં રૂ.20,000/-ની સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે વર્ષ-2010 થી આ યોજના હેઠળ ત્રણ હપ્તામાં રૂ. 45000/-ની સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ, પ્રથમ હપ્તો 21,000/- અગાઉથી, બીજો હપ્તો 15,000/- લિંટેલ સ્તરે અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થવા પર 9,000/- આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
  3. રાજ્યમાં 15 થી 20 ના બીપીએલ સ્કોર સાથે મોટાભાગના ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેતા, વર્ષ 2013 માં, કુલ 4,29,900 મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં કાચા આવાસ સાથે પાત્ર પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા.
  4. ત્યારબાદ, પંચાયત વિભાગના તા.08/08/2013 ના ઠરાવથી, ઇન્દિરા આવાસ યોજના હેઠળ 15-20 સુધીના સ્કોર ધરાવતા BPL પરિવારોને આવરી લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
  5. આ યોજના હેઠળ, પ્લોટ વિના પાત્ર પરિવારોને મફત પ્લોટ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી લાભાર્થી પરિવાર સરકારી સહાયથી પોતાનું મકાન બનાવી શકે.
  6. વધુમાં, “જમીન સંપાદન”, તેમજ “પ્લોટ ડેવલપમેન્ટ”, “ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ” જેમ કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તાઓ, વિદ્યુતીકરણ માટે પ્લોટની ફાળવણી માટે જોગવાઈ કરવામાં આવી છે. જેથી મફત પ્લોટ વિસ્તારના લાભાર્થીઓને ખૂટતી સુવિધાઓ મળી શકે.
See also  PM Kisan Samman Nidhi YoJana : ૧લી ડિસેમ્બરથી બેંક ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા કરશે સરકાર, કરોડો ખેડૂતોને મળશે લાભ.

મફત પ્લોટ યોજના ગુજરાત – તમામ પરિપત્ર , જીઆર અને સર્ક્યુલર (ઠરાવ).

  1. મફત પ્લોટ યોજના જમીન સમિતિની બેઠક મા સુધારો પરિપત્ર તા.25-08-14
  2. મફત પ્લોટ યોજના જમીન સમિતિની બેઠક પરિપત્ર તા.24-04-15
  3. મફત પ્લોટ યોજના અને સરદાર આવાસ યોજના સંકલિત ઠરાવ તારીખ:11-09-15
  4. મફત પ્લોટ યોજના અને સરદાર આવાસ યોજના સંકલિત ઠરાવ તારીખ:06-08-16
  5. મફત પ્લોટ યોજના મા સુધારા પરિપત્ર તારીખ:01-05-17
  6. મફત પ્લોટ યોજના મા સુધારા પરિપત્ર તારીખ:13-03-18

આ યોજનાનો લાભ કોને મળી શકે?

આ યોજનાનો લાભ નીચે જણાવ્યા મુજબની શરતો પરિપૂર્ણ કરતાં હોય તેવાં કુટુંબને મળવાપાત્ર થશે.

  • જેઓ પ્લોટ વિહોણા હોય
  • જેઓ સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી-2011 (SECC) ગ્રામ્ય વિસ્તારમાં પતતા ધરાવતા કુટુંબમાં આવેલા હોય અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય.
  • તેઓ જમીન વિહોણા ખેતમજૂર કે ગ્રામ્ય કારીગર હોવા જોઈએ અને પોતાના જીવન નિર્વાહ માટે ગ્રામ મજૂરી ઉપર આધાર રાખતા હોવા જોઈએ.
  • જેઓ પુખ્ત વયનાં હોવા જોઈએ. (સગીર ન હોવા જોઈએ.)
  • જેઓ ગ્રામ્ય વિસ્તારમાં જે-તે ગામમાં ઓછામાં ઓછાં એક વર્ષથી વસવાટ કરતાં હોવા જોઈએ.
  • ગ્રામ/નગર પંચાયત વિસ્તારમાં રહેતા અને મફત પ્લોટ મેળવવા માટે ઠરાવેલી પાત્રતા ધરાવતા અને ચોથા વર્ગનાં સરકારી કર્મચારીઓને મળતા કુલ વેતનથી ઓછું વેતન મેળવતા હોય તેવાં પાર્ટ ટાઈમ સરકારી કર્મચારીઓ અથવા ચોથા વર્ગનાં સરકારી કર્મચારીઓને મળતા કુલ વેતનથી ઓછું વેતન મેળવતા ગ્રામ/નગર પંચાયત સહકારી મંડળી કે તેવી કોઈ સંસ્થામાં નોકરી કરતાં પૂરો સમયનો કે પાર્ટ ટાઈમ કર્મચારીઓને ઠરાવેલી શરતો અને પત્રતાની ચકાસણી કરીને મફત પ્લોટ આપી શકાશે.
  • પતિ/પત્ની સંયુક્ત રહેતા હોય અને પતિ કે પત્નીના નામે પ્લોટ/મકાન ન હોવું જોઈએ.
  • લાભાર્થી બહારગામનો વાતની હોય અને જે ગામમાં રહેતો હોય તે ગામમાં તથા વતનમાં ગામમાં પોતાને નામે જમીન /મકાન નથી તે મતલબનો દાખલો રજૂ કરે તો તેને પ્લોટ આપી શકાશે.
  • એક ગામમાંથી બીજા ગામમાં વસવાટ કરતાં લાભાર્થીઓને ક્યારેક તેનાં મૂળ ગામમાં તથા કામચલાઉ સ્થળાંતર કરવાનાં કારણે બીજા ગામમાં પણ પ્લોટ ફાળવવા માટે માંગણી કરતાં હોય છે. પરિણામે એક જ લાભાર્થીને બે જગ્યાએ પ્લોટ મળે છે જ્યારે જરૂરિયાતવાળા અન્ય લાભાર્થીઓને આ કારણે પ્લોટ મળી શકતા નથી. આવી પરિસ્થિતિ નિવવા સરરકારે એમ નક્કી કર્યું કે બહારગામથી આવેલ લાભાર્થી જે તે ગામમાં પ્લોટની અરજીની તારીખ પહેલા ઓછામાં ઓછાં એક વર્ષથી વસવાટ કરતો હોવો જોઈએ અને પોતાનાં નામનું રેશનકાર્ડ તે ગામમાં ધરાવતો થઈ ગયો હોવો જોઈએ.
  • જે અરજદારનાં પોતાના નામે કે, વડવાઓના નામે જમીન હોય અને જમીનમાં અરજદારનો હિસ્સો પિયતવાળી જમીનના કિસ્સામાં અડધા હેક્ટરથી વધારે નહીં અને બિનપિયતવાળી જમીનના કિસ્સામાં એક હેક્ટરથી વધાર નહીં હોય તેવાં જમીન ધારકોને પણ 100 ચો.વાર નો મફત પ્લોટ મળવાપાત્ર છે. આથી સરદાર પટેલ આવાસ યોજનાનાં લાભાર્થીઓ પૈકીનાં ઉપર જણાવેલ કિસ્સામાં પણ 100 ચો.વાર નો મફત પ્લોટ મળવાપાત્ર છે.
  • ગ્રામ્ય વિસ્તારનાં જે લાભાર્થીઓ બી.પી.એલ. યાદી હેઠળ નોંધાયેલા હોય તેવાં લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
See also  Covid-19 Death Sahay Gujarat

જરૂરી આધાર-પુરાવા

  • પુખ્તવયનાં પુરાવા તરીકે જન્મ નોંધણીનું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ચુંટણી કાર્ડ, અથવા આધાર કાર્ડ માંથી કોઈ પણ એક
  • ઓળખ અને વસવાટના પુરાવા તરીકે રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, અથવા આધાર કાર્ડ માંથી કોઈ પણ
  • જમીન ધારણ કરતાં નથી / વારસદાર તરીકે ભાગે પડતી જમીન મળનાર છે તે અંગે તલાટી-કમ-મંત્રીનું પ્રમાણપત્ર અને જમીન ધારણ કરતાં હોય તો ગામ નમૂના નં.7
  • અરજદાર પાસેથી તેઓ અથવા તેમના કુટુંબનાં કોઈ વ્યક્તિના નામે રાજ્યમાં કોઈ પણ સ્થળે ગ્રામ્ય / શહેરી વિસ્તારમાં જમીન / મકાન નથી તે મતલબનું એકરારનામું (નિયત નમૂનામાં)
  • અરજદારને બીપીએલ યાદીમાં નામ ધરાવતા હોવા જોઈએ.
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવાનું રહેશે.

યોજના હેઠળ કેટલી જમીન મળશે?

આ યોજના નીચે પાત્રતા ધરાવતા લાભાર્થીને વધુમાં વધુ 100 ચો.વાર સુધીનો પ્લોટ મફતમાં આપવામાં આવશે. આમ છતાં જ્યાં પૂરતી જમીન ઉપલબ્ધ થતી નથી તેવાં કિસ્સાઓમાં ઓછી જમીનના આધારે વધુ લાભાર્થી સંતોષાય તે દ્રષ્ટિએ 100 ચો.વારથી ઓછો 50 ચો.વાર થી ઓછો નહીં તેટલો પ્લોટ પણ આપી શકાશે. એટલે કે જમીનની ઉપલબ્ધતા પ્રમાણે 50 થી 100 ચો.વાર સુધીની જમીનના પ્લોટ આપી શકાશે. પરંતુ જ્યાં 100 ચો.વાર થી ઓછો પ્લોટ ફાળવવાના થાય ત્યાં જિલ્લા લેન્ડ કમિટીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. વળી રસ્તા અને કોમન પ્લોટ માટે પણ યોગ્ય જગ્યા ફાળવવામાં આવશે.

પ્લોટ ફાળવવામાં અગ્રતાક્રમ :

આ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓની આવેલ અરજીઓને જે-તે ગામની જમીન ઉપલબ્ધતા ધ્યાને લઈ નીચે મુજબ અગ્રતાક્રમ આપી તાલુકા લેન્ડ કમિટી પ્લોટ ફાળવશે.

  1. સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી-2011 (SECC) ગ્રામ્ય વિસ્તાર મુજબ PMAY(G) હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબો
  2. અનુસૂચિત જનજાતિ
  3. અનુસૂચિત જાતિ
  4. અન્ય પછાત વર્ગો.
  5. અન્ય પ્લોટ અને મકાન વિહોણા કુટુંબો

ઉપર પ્રમાણે અગ્રતાક્રમ નક્કી કર્યા બાદ રહેણાકની મુશ્કેલી અનુભવતા અન્ય કુટુંબની પસંદગી.

See also  કાંટાળા તારની વાડ માટેની યોજના || યોજનાનો લાભ કોને મળશે? || તારની વાડ માટેના સ્પેસિફિકેશન શું છે? || જાણો સંપૂર્ણ માહિતી

પ્લોટ ફાળવવાની શરતો અને બોલીઓ :

  1. પ્લોટ નવી અને અવિભાજ્ય શરતે આપવામાં આવશે.
  2. પ્લોટ ઉપર બે વર્ષમાં મકાન બાંધકામ કરવાનું રહેશે.
  3. પ્લોટનો કબજો સુપ્રત થયે બિનખેતી આકાર લાગુ થશે.
  4. પ્લોટ ખુલ્લા કે તે પર કરેલ બાંધકામ કોઈને ભાડે આપી શકાશે નહીં.
  5. જે ઇસમોને પ્લોટ ફાળવેલ હોય તેઓએ તેના પર બાંધકામ કરવા મારે લોન મેળવવા જાતે જ વ્યવસ્થા કરવાની રહેશે આઠવા તેઓએ પોતે બાંધવાનું રહેશે.ફાળવેલ મફત પ્લોટ વેચી શકાશે નહીં, ગીરો મૂકી શકાશે નહીં અથવા તેના હક્કો કોઈને તબદીલ કરી શકાશે નહીં.

ઉપરોક્ત શરતોનો ભંગ થયે પ્લોટ સરકાર દાખલ કરવામાં આવશે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *