![](https://i0.wp.com/trickgujarati.com/wp-content/uploads/2023/01/ધોરણ-૧૦-અને-ધોરણ-૧૨-માર્ચ-૨૦૨૩-ની-પરીક્ષાનો-કાર્યક્રમ_Page_1.jpg?fit=847%2C596&ssl=1)
Gujarat Board of Secondary and Higher Secondary Exam Announced
![](https://i0.wp.com/trickgujarati.com/wp-content/uploads/2023/01/ધોરણ-૧૦-અને-ધોરણ-૧૨-માર્ચ-૨૦૨૩-ની-પરીક્ષાનો-કાર્યક્રમ_Page_1.jpg?resize=847%2C596&ssl=1)
Std. 10 and 12 board exams will be held from March..
નિયામકશ્રી (પરીક્ષા), ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSCE & HSCE માર્ચ-2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-10 (SSCE) નાં વિદ્યાર્થીઓની પરીક્ષા તા.14/03/2023 થી શરૂ થશે. જેમની પરીક્ષાનો સમય 10-00 am થી 13-15 am સુધીનો રહેશે. જ્યારે ધોરણ-12 (HSCE) નાં સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ વિદ્યાર્થીઓની પરીક્ષા તા.14/03/2023 થી શરૂ થશે તથા વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા તા.20/03/2023 થી શરૂ થશે. તમામ પ્રવાહની પરીક્ષાનો સમય 03-00 pm થી 06-15 pm સુધીનો રહેશે. સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક ઉમેદવાર માટેનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.વિગતવાર માહિતી માટે જાહેર કરવામાં આવેલ કાર્યક્રમની લિંક નીચે આપવામાં આવેલ છે. જે વાંચી જવા વિનંતી.
![](https://i0.wp.com/trickgujarati.com/wp-content/uploads/2023/01/4263452.jpg?resize=818%2C711&ssl=1)
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૩ ની પરીક્ષાનો કાર્યક્રમ માટે અહી ક્લિક કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. (ધોરણ-10) અને H.Sc. (ધોરણ-12)ના નિયમિત, પુનરાવર્તક, ખાનગી અને અલગ ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ-10 સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 સંસ્કૃત મધ્યમ પરીક્ષા માર્ચ 2023 થી લેવામાં આવશે.
![](https://i0.wp.com/trickgujarati.com/wp-content/uploads/2023/01/ધોરણ-૧૦-અને-ધોરણ-૧૨-માર્ચ-૨૦૨૩-ની-પરીક્ષાનો-કાર્યક્રમ_Page_2.jpg?w=847&ssl=1)
આ પણ વાંચો :
PSE-SSE Exam Notification 2022 Apply @www.sebexam.org
વિગતવાર પરીક્ષા સમયપત્રક આ સાથે સમાવવામાં આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી છે.